મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) ના નાગપાડા (Nagpada) માં દિલ્હીના શાહીન બાગ (Shaheen Bagh) ની જેમ જ એનઆરસી (NRC)  અને સીએએ (CAA) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. સોમવારે જેએનયુનો પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ પણ ત્યાં પહોંચ્યો. ખાલિદે કહ્યું કે અમે દેશના નાગરિક હતા, છીએ અને રહીશું. જો દેશની અંદર કોઈ તોફાન ભડકાવે, દેશની અંદર તોફાનો રોકે નહીં તો તે લોકોની જગ્યા સંસદ નથી, તેમની જગ્યા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની ગાદી નથી પરંતુ જેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાલિદે કહ્યું કે શાહીન બાગ દિલ્હીના એક વિસ્તારનું નામ નથી પરંતુ શાહીન બાગ ભારતના દરેક  ખૂણામાં છે. તમે જેટલા શાહીન બાગ ઉજાડશો એટલા દરેક ગલી મહોલ્લામાં એક શાહીન બાગ ઊભું થઈ રહ્યું છે. જીત અમારી થશે. પૂર્વ જેએનયુ વિદ્યાર્થીએ કહ્યું કે પહેલા સીએએ જશે, પછી એનઆરસી જશે અને પછી એનપીઆર જશે. અમે આ દેશને છોડીને જઈશું નહીં. નફરતની વિચારધારા આ દેશને છોડીને જશે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...